પ્રિય રહેવાસીઓ
થોડા અક્ડાઓ નાણાકીય વર્ષ ૨૨-૨૩ ના આપ સમક્ષ મૂકવા માંગુ છું. આ આંકડાઓ માં ૨ થી ૩ % નો ફરક હોઈ સકે. કારણ કે ખજાનચી અને પ્રમુખ પાસે એસોસિયેશન ના એકાઉન્ટ અને CA છે
આ ફરજ ખજાનચી અને પ્રમુખ ની હોવી જોઈએ જે એવો નિષ્ફળ નિવડ્યા છે.
ગયા વર્ષ ના જુલાઈ અને આ વર્ષ ના જુલાઈ મહિના નો જાળવણી ખર્ચ નો આકડો જોતા ચોક્કસ પણે કહી સકાય કે હોદ્દેદારો તરીકે પ્રમુખ, ખજાનચી અને ઉપપ્રમુખ ને સંકુલ વાસીઓ એ નકારી કાઢ્યા છે.
હવે સ્વેચિક પણે હોદેદારો એ પદ છોડી દેવું જોઈએ.
બધી નૈતિકતા નેવેમૂકી દીધી છે.
થોડા સમય પહેલા આપણા ખજાનચી શ્રી જાળવણી ખર્ચ ભરવા માટે ની અપીલ કરતો વીડિયો મૂક્યો હતો અને ફરજ ની વાતો કરતા હતા. પણ જ્યારે હક અને અધિકાર ની વાતો સંકુલ વાસીઓ ની આવે ત્યારે કેમ ચૂપ બેસી જાય છે.
શું જાળવણી ખર્ચ ભરી ફરજ ફકત સંકુલ વાસીઓ એ જ નિભાવા ની આવે?
પ્રમુખ અને ખજાનચી ની ફરજો ક્યાં ગઈ ?
જે જાળવણી ખર્ચ ભર્યા છે એવો ને મારો આ સવાલ છે.
પ્રમુખ અને ખજાનચી શ્રી જવાબ તો નથી આપી રહ્યા જો આપના પાસે જવાબ હોય તો ચોક્કસથી આપશો.
જે પારદર્શિતા ના મુદ્દા પર સંકુલ વાસીઓ એ પ્રેમ આપ્યો હતો. એ એસોસિયેશન ના હોદ્દેદારો એ ચોક્કસ પણે વિશ્વાસઘાત કર્યો એમ કહિસકાય.
ફકત સત્તા મેળવી એ જ એમનો મુખ્ય ધ્યેય હતો એવું લાગે છે.
૨૦% કરતા પણ ઓછા લોકો ને જાળવણી ખર્ચ નો આકડો બહાર આવતા એ તો ચોક્કસ પણે ખ્યાલ આવી ગયો કે હાલ ના પ્રમુખ અને ખજાનચી ની ખોટી નીતિ અને પારદર્શિતા ના અભાવ ના કારણે ૮૦% લોકો એ જાળવણી ખર્ચ નથી ભર્યા..
આભાર
સાગર પાટીલ
સેક્રેટરી
સરદાર હાઈટ્સ એસોસિયેશન